સુવિચાર -4

વ્યાસ વિચાર -પૂજ્ય દાદાજી

મને એક વખત પરદેશી માણ સે પૂછ્યું-

એક શબ્દ માં તમે તમારા ધર્મ નું લક્ષણ કહી શકશો ? 

બહુ કઠણ છે 
પરંતુ એકજ શબ્દ માં કેહવું હોય તો અમારો ધર્મ शौचम् કહે છે ,તેમાં બધું આવી ગયું

અર્થ-શૌચ ,વૃત્તિ-શૌચ, બુદ્ધિ-શૌચ -એમાં બધું આવી ગયું  શુચિતા આ ધર્મ છે 

આજે અર્થશાસ્ત્ર માં સમજાવે છે કે 
અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રને કોઈ સંબંધ નથી 
પણ,ભારતીયો નું કહેવું છે કે-અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર ને ઘાઢ સંબંધ છે 

વિચાર અને સંકલ્પ બે વાત બુદ્ધિ માં છે 

જેના જીવનમાં શુદ્ધ વિચાર અને શુદ્ધ સંકલ્પ છે તે શુચિતા છે 

"મારુ જીવન હું ચલાવતો નથી" આ સમજવું તે શુદ્ધ વિચાર છે 
"આખું શરીર અને તેમાં ચાલતી સર્વ ચયાપચય ની ક્રિયા હું નહિ પણ ભગવાન ચલાવે છે 
તો શું હું એને યાદ નહિ કરું ?" (તે શુદ્ધ સંકલ્પ છે)

શૌચ શબ્દ માં ભક્તિ પણ આવી જાય છે.

જેમ શરીર શુદ્ધિ છે તેમ મનઃ શુદ્ધિ વૃત્તિ-શુદ્ધિ  બુદ્ધિ-શુદ્ધિ ,

આ બધું શુચિતા માં આવી જાય છે