સુવિચાર -5

વ્યાસ વિચાર -518

ભાગવતધર્મમાં તપ પણ હોવું જોઈએ,જે તપ કરતો નથી તે ભાગવત નથી એમ ભાગવતકાર કહે છે.

ભાગવતને द्वन्द्व સહન કરવાના છે,સુખ કે દુઃખ આવે તે સહન કરવાના છે ,
સુખ દુઃખ માં અવિચલ રહેવાનું છે.તેને તપ કહે છે,
આવેલું દુઃખ સહન કરવું કઠણ છે ,તે કદાચ માણસ સહન કરે,
પણ સ્વેચ્છાએ સ્વીકારેલા દુઃખ ને સહન કરવું તેને તપ કહે છે.

મને ઘર માં બેસી ને શાંતિ થી ચા -નાસ્તો -જમવાનું મળે છે, ફરવા માટે મોટર છે 
છતાં આ બધું છોડી ને હું ભક્તિ ફેરી માં જાઉં 
પગે ચાલુ,જાતે રસોઈ બનાવી જમું 
આ મારે સ્વેચ્છા એ ઉપાડેલા દુઃખ ને તપ કહે છે 
માણસે ભાગવત બનવા તપ કરવું જોઈએ,
આમ,સ્વીકારેલું દુઃખ સહન કરવું -તેને તપ કહે છે