ભાગવત -વ્યાસ વિચાર -page -12







ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી




5- ऊतय -उति -એટલે કર્મ વાસના ---વાસના શા માટે ? આ પહેલો પ્રશ્ન ઉભો થાય ,,

કર્મ થી ફળ ,અને ફળ થી વાસના ,અને વાસના થી જન્મ ,અને જન્મ થી ફરી જન્મ અને જન્મ થી ફરી કર્મ --
એવું ચક્ર ચાલ્યા કરે છે ,તેનું વર્ણન ભાગવત માં છે ,

તેવીજ રીતે સારા કર્મ અને ખરાબ કર્મ ---પુણ્ય કર્મ અને પાપ કર્મ ની ચર્ચા પણ ભાગવત માં છે ,

પાપ કર્મ અને પુણ્ય કર્મ ની ગતિ કઈ છે ,તે વિષય પણ ભાગવત માં છે

6 -मन्वन्तर -मन्वन्तराणि सद् धर्म - મન્વન્તર એટલે સદ્ ધર્મ નું પાલન ,
આ શાસ્ત્રીય શબ્દ છે ,ઘણા લોકો તેનો અર્થ કાળ સમજે છે ,

સૃષ્ટિ ની નિર્મિતિ પછી ,તેને ચલાવવા માટે કંઈક નિયમ બનાવ્યા છે ,તે નિયમ બનાવવાળા અને

સમજાવવા વાળા ને દેવતા માન્યા છે ,તે દેવતા ને મનુ કહે છે

સત ધર્મ ના પાલન અને તેના નિયમ માટે મનુ બધે ફર્યા છે, તેનેજ મન્વન્તર કહે છે