ભાગવત-વ્યાસ વિચાર -page -8

ભાગવત --વ્યાસ વિચાર --પૂજ્ય પાંડુરંગ આઠવલેજી 

પરંતુ જડપ્રધાન સૃષ્ટિ માનવાવાળા લોકો પણ પ્રચ્છન્ન (ગુપ્ત ) ચૈતન્યવાદી નથી ? 

મારી દ્રષ્ટિથી હેગેલ પણ પૂર્ણ જડવાદી નથી,તે પ્રચ્છન્ન ચૈતન્યવાદી છે ,

શંકરાચાર્ય ઉપર પણ લોકોએ "તે પ્રચ્છન્ન બૌદ્ધ છે "એવો આરોપ કર્યો હતો,

તે કાળના લોકોએ કહ્યું હતું કે શંકરાચાર્યનું તત્વજ્ઞાન તો વેદિક કહે છે,પણ તે પ્રચ્છન્ન બૌદ્ધ છે

એવો આરોપ હું નથી કરતો ,હું તો સિદ્ધ કરું છું કે હેગેલ ઇત્યાદિ તત્વજ્ઞાનીઓ પ્રચ્છન્ન ચૈતાન્યવાદી છે ,

તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાવાળા લોકોને ખબર હશે કે હેગેલ ઇત્યાદિ તત્વજ્ઞાનીઓનો
LAW OF SUBSTANCE શું છે ? હેગેલ ના આ LAW OF SUBSTANCE મુજબ,

પ્રકૃતિનો સ્વભાવ એવા પ્રકારનો છે કે ,પ્રકૃતિમાં ચૈતન્ય ક્રમે ક્રમે વિકસિત થાય છે ,

હવે જો પ્રકૃતિ માં ચૈતન્ય વિકસિત થતું હોય તો એનો અર્થ એ જ કે 

પ્રકૃતિમાં ,અવિકસિત રૂપમાં ,અથવા અવ્યક્ત રૂપમાં ચૈતન્ય મૂળ થી હોય જ છે,
તેથીજ તે વિકસિત થયુ,ચૈતન્ય જ ના હોત તો એ વિકસિત થતે જ શી રીતે ?

नासतो विद्यते भावो न भावो विद्यते सतः I

અસત મિથ્યા વસ્તુ નું અસ્તિત્વ હોતું નથી ,અને સત ચૈતન્ય નો અભાવ હોતો નથી 

તો પછી તેઓ ચૈતન્ય પૂર્વક સૃષ્ટિ નિર્મિતિ માનવાવાળા લોકો જ છે

હેગેલ ના LAW OF SUBSTANCE ના ઊંડા પાણી માં હું અત્યારે નથી જતો 

પરંતુ આપણા મગજ માં હોવું જોઈએ કે ભાગવત એક તત્વજ્ઞાન નો ગ્રંથ છે,
તેથી ભાગવતે પહેલા સર્ગ અને પછી વિસર્ગ કહ્યો છે તે બરાબર છે