Bhagvat -vyas vichar-page-16

અધ્યાય – 3 (સ્કંધ-12)

કળિયુગમાં લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર (તુચ્છ-કે ખરાબ) બની જશે.
મોટાભાગના લોકો એવા હશે -કે જે હશે તો નિર્ધન પણ ખાતા બહુ હશે.
એમનું ભાગ્ય હશે બહુ મંદ પણ ચિત્તમાં કામનાઓ બહુ મોટી મોટી હશે.
સ્ત્રીઓમાં દુષ્ટતા અને કુલટાપણું  વધી  જશે.(31)

કળિયુગ હશે- ત્યારે આખા દેશમાં, ગામે ગામમાં લુંટેરાઓ (આતંકવાદ)  વધી જશે.
પાખંડીલોકો પોત-પોતાના નવા સિધ્ધાંતો બનાવીને મનફાવે એવો -સ્વાર્થ માટે વેદોનો અર્થ કરશે
અને એ પ્રકારે એ પાખંડી  લોકો વેદો ને  કલંકિત કરશે,
પોતાને રાજા કહેવડાવનારા પ્રજાની કમાઈ હડપીને એને ચૂસી લેશે  
"બ્રાહ્મણ"ના નામે ઓળખાતા -એ જીવો- પેટ ભરવામાં અને (તેમના જીવનમાં કોઈ સંયમ ના હોતાં)
જનેન્દ્રીયોના ભોગોને તૃપ્ત કરવામાં લાગેલા રહેશે . (32)

બ્રહ્મચારી લોકો બ્રહ્મચારીવ્રતથી રહિત અને અ -પવિત્ર રહેવા લાગશે (બ્રહ્મચર્યાશ્રમ)
ગૃહસ્થ બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં માંગતો ફરશે (ગૃહસ્થાશ્રમ)
વાનપ્રસ્થી વનમાં રહેવાને બદલે ગામ (કે શહેરો)માં વસશે (વાનપ્રસ્થાશ્રમ)
અને સંન્યાસી ધનના અત્યંત લોભને લીધે પિશાચ જેવો બની જશે   (સન્યાસાશ્રમ )(33)

સ્ત્રીઓનું કદ (આકાર) નાનો થઈ જશે , પરંતુ તેમની (તન ની) ભુખ વધી જશે
એમને સંતાનો બહુ થશે અને સ્ત્રીઓ પોતાના કુળની મર્યાદાઓનું ઉલ્લંધન કરીને
લાજ વગેરેને છોડી દેશે,એ સદા સર્વદા કડવી વાણી બોલશે,અને
ચોરી અને કપટ કરવામાં પ્રવીણ હશે,. સ્ત્રીઓમાં સાહસ પણ ખૂબ વધી જશે .(34)

પ્રિય પરિક્ષિત, કળિયુગમાં મનુષ્યો બહુ જ લંપટ બની જાય છે.
એ પોતાની કામવાસનાઓ તૃપ્ત કરવા માટે જ કોઈક ને પ્રેમ કરે છે.
એ વિષયવસાનાઓથી એટલા બધા ધેરાઈ જઈ ને દીન બની જાય છે કે
પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોને પણ છોડીને
કેવળ પોતાના સાળા અને સાળીઓની સલાહ લે છે. (37)

કળિયુગ માં-ક્ષુદ્ર લોકો તપસ્વીઓ જેવો વેશ બનાવીને પોતાનું પેટ ભરે છે અને દાન સ્વીકારે છે.
જેમને ધર્મનું જરા જેટલુંય જ્ઞાન નથી એ લોકો ઊંચા સિંહાસનો પર બેસીને ધર્મનો ઉપદેશ કરે છે. (38)

કળિયુગમાં લોકો ધન તો શું, નાની-નાની વાતો માં પણ લોકો સાથે વેર વિરોધ કરવા લાગશે
અને બહુ દિવસની મિત્રતા અને સદભાવને તિલાંજલી આપી દેશે.
એટલું જ નહિં, તે પૈસા માટે પોતાના સગા-સંબંધીઓની હત્યા સુધ્ધાં કરી નાખશે અને
પોતાના પ્રાણો થી (નજીક ના કુટુંબીઓ થી) પણ હાથ ધોઈ નાખશે (કોઈ પ્રેમ -સંબંધ નહિ રાખે) (41)

પરીક્ષિત ! કળિયુગના- ક્ષુદ્ર લોકો કેવળ પોતાની કામવાસના પૂરી કરવા અને
પોતાનું પેટ ભરવાની ધૂનમાં જ લાગેલા રહેશે.
પુત્ર પોતાના ધરડાં મા-બાપની રક્ષા-પાલન-પોષણ નહીં કરે, એની ઉપેક્ષા કરશે.
પિતા પણ એના કુશળ અને બધા કામમાં યોગ્ય એવા પુત્રોની પરવા ન કરતાં એમને અલગ કરી દેશે.(42)

હે પરિક્ષિત, કળિયુગમાં આમ તો હજારો દુર્ગુણ છે પરંતુ તેમાં એક ગુણ બહુ જ સુંદર છે.
એ ગુણ એ છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું સંકિર્તન કરવા માત્રથી
બધી જ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે.
જે ફળ સત્યયુગમાં ભગવાન ના ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા-મોટા યજ્ઞો કરી એમની આરાધના કરવાથી,
દ્વાપરયુગમાં વિધિપૂર્વક એમની સેવા કરવાથી મળે છે,
એ કળિયુગમાં કેવળ ભગવાનના નામનું કિર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. (51-52)
Anil Shukla (www.sivohm.com