સઘળી ઇન્દ્રિયો પોતપોતાના અર્થો માં વર્તી રહી છે,એમ માની ને જ્ઞાનીઓ કોઈ વિષય માં આસક્ત થતા નથી.
તેઓ આ દુનિયામાં સઘળું કાર્ય કરવા છતાં –પોતે કંઈ કરતા નથી-એમ ભાવના રાખી સર્વ કાર્ય કરે છે.
તેઓ આ દુનિયામાં સઘળું કાર્ય કરવા છતાં –પોતે કંઈ કરતા નથી-એમ ભાવના રાખી સર્વ કાર્ય કરે છે.
જનકરાજાએ ત્રાટક કર્યું,ક્ષણ માં તો રામજી ને ઓળખી લીધા છે. બોલ્યા છે-કે-
આ ઋષિકુમાર પણ નથી અને રાજકુમાર પણ નથી,રામ કોઈ માનવ નથી,રામ કોઈ દેવ નથી,પણ-
વેદો-નેતિ નેતિ- કહી જે “બ્રહ્મ” નુ વર્ણન કરે છે-અને શંકરજી જેનું સદાસર્વદા ચિંતન કરે છે-તે-
આ સાક્ષાત પરબ્રહ્મ –પરમાત્મા છે.
વિશ્વામિત્ર પૂછે છે-કે તમને આ કોણે કહ્યું ?કેવી રીતે તમે આમ કહી શકો છો ?
જનક રાજા કહે છે-કે- મને કોઈએ કહ્યું નથી,મારું મન સતત બ્રહ્મ નુ ચિંતન કરે છે,સંસાર નો કોઈ વિષય
મારા મન ને ખેંચી શકે જ નહિ, આ રામ મારા મન ને ખેંચે છે-તેથી લાગે છે-કે તે ઈશ્વર હોવા જોઈએ.
રામ ઈશ્વર ન હોય તો તે મારા મન નુ આકર્ષણ કરી શકે જ નહિ.
પોતાનો કેવો વિશ્વાસ ? પોતાના મન પર કેવો વિશ્વાસ !!!
દુષ્યંત –શકુંતલા નુ પ્રથમ મિલન થાય છે-ત્યારે દુષ્યંત શકુંતલા ને પૂછે છે-કે તમે કોણ છો ?
શકુંતલા જવાબ આપે છે-કે-હું ઋષિ-કન્યા છું. દુષ્યંત ત્યારે કહે છે-કે- બ્રાહ્મણ ની કન્યા મારી મા છે,
મારું મન પવિત્ર છે- પણ તને જોયા પછી મારું મન ચંચળ થાય છે,તેથી તું મારી જાત ની કન્યા છે.
તું જો મારી જાતની કન્યા ન હોય તો મારું મન ચંચળ થાય જ નહિ. મારું પવિત્ર મન જ પ્રમાણ છે.
મેં મનથી કદી પાપ કર્યું નથી!!! (મન પર કેવો વિશ્વાસ ?!!!)
શકુંતલા કહે છે-તમે મહાન પવિત્ર લાગો છો, તમારી વાત સાચી છે.મારા સાચા પિતા ક્ષત્રિય છે.
ઋષિ મારા પાલક પિતા છે. એટલે હું સાચે-ઋષિ કન્યા નહિ પણ ક્ષત્રિય કન્યા છું.
જનકરાજા વિશ્વામિત્ર ને કહે છે-કે-
આજ સુધી હું નિરાકાર બ્રહ્મ નુ ચિંતન કરતો હતો.મને હવે થાય છે-કે-
નિરાકાર નહિ પણ નરાકાર(નર-આકાર) રામનું ધ્યાન કરું.
રામજી ને જોયાં પછી મારું મન રામજી નુ ચિંતન કરે છે-એટલે જ કહું છું કે રામજી ઈશ્વર છે.
નિરાકાર બ્રહ્મ જ આજ સાકાર રામ થયા છે.
વિશ્વામિત્ર કહે છે-રાજા આ તમારી દૃષ્ટિ નો ગુણ છે.જ્ઞાનીઓ અભેદ ભાવ થી ચિંતન કરે છે.
તમારી દૃષ્ટિ –બ્રહ્મમય છે.તેથી તમને એવું લાગે છે, બાકી આ તો દશરથ ના કુમારો છે.
મારા યજ્ઞ નુ રક્ષણ કરવા તેઓ આવ્યા છે.
જનક મહાજ્ઞાની છે.સંસાર માં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી.
સંસાર માં રહેવાથી પાપ થતું નથી પણ સંસારને મન માં રાખવાથી પાપ થાય છે.
ગીતામાં બીજા કોઈ રાજાનાં વખાણ કર્યા નથી પણ શ્રીકૃષ્ણે જનકરાજા ના વખાણ કર્યા છે-
લખ્યું છે-કે-“જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિ ને પ્રાપ્ત કરી હતી.”
જનકરાજાની સતત આત્મદૃષ્ટિ હતી. સતત એક જ ભાવના હતી કે “હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું”
રામ-લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનકપુરી ની બહાર આંબાવાડી માં રહ્યા છે.
સાયંકાળે સંધ્યા કરે છે,વિશ્વામિત્ર જોડે સત્સંગ કરે છે-અને રાત્રે બંને ભાઈ ગુરુના (વિશ્વામિત્રના) ચરણ ની
સેવા કરે છે.રામ-લક્ષ્મણ ની સેવા જોતાં –વિશ્વામિત્ર નુ હૃદય પીગળ્યું છે-હૃદય થી આશીર્વાદ આપ્યો છે-