Trip -4

A day trip to VRAJ -DHAM -PA -US -on july -16-2017

આજે મારા ભાઈ સાથે વ્રજ ધામ જવા માટે નીકળ્યા ,વ્રજ ધામ પેન્સિલવેનિયા સ્ટેટમાં વેસ્ટ માં આવેલું છે ,
ન્યૂ જર્સી ની બાજુ નું સ્ટેટ છે ,પહેલા પોકોનસ ની પર્વતમાળા આવે ,પછી બ્લૂ માઉન્ટન ની પર્વત માળા આવે ત્યાં પર્વતો ની વચ્ચે વ્રજ ધામ આવેલું છે ,પર્વત નો રસ્તો ઘાઢ જંગલ ની વચ્ચે થઇ ને જવાનું ,

ભગવાન નું એક નામ વનમાલી પણ છે ,વહેતા ઝરણા અને જળાશય મનોહર હતા.
હરણ ફરતા જોયા અને પ્રકૃતિ જાણે આપણને આનંદ આપવા આવી હોય ,
ડેલાવેર નદી ને ઓળગીને જવાનું
વ્રજ ધામ આવેલું છે ત્યાં સૌ પહેલા સ્કીઈંગ કરવા આવનારા માટે એક રિસોર્ટ હાઉસ હતું ,પછી
ત્યાં સૌરાષ્ટ્ર ના બંધવડ ગામના મધુસુદનજી મહારાજે આશ્રમ શરુ કર્યો હતો જેમાં તેઓ યોગ વિગેરે  
શીખવાડતા હતા -હવે ત્યાં વૈષ્ણવ સમાજે શ્રીનાથજી બાવા ને પ્રતિષ્ઠ કર્યા-એમ કહેવાય છે.
ભક્ત સમાજ આવતા ગયા અને દરેક પ્રકારની વૃદ્ધિ થતી ગઈ ,

આજે ત્યાં મોટું મંદિર છે ,આવતા ઝરણાઓ ને એકઠા કરી ગોપી તળાવ બનાવ્યું છે ,
ગિરિરાજ ધરણ નું મંદિર છે ,કન્ટીન છે જેમાં મેથી ગોટા -ખીચું -બટાકા પૌઆ -ચા -કોફી ની સગવડ છે ,
ત્યાં રહેવા માટેની સગવડ છે ,સમર વેકેસન ના કેમ્પ પણ ચાલતા હોય છે ,
અમે ગયા તે દિવસે બાળકો ના માતા -પિતા પણ આવેલા હતા ,

અમે પહોંચ્યા ત્યારે રાજ ભોગ આરતી પહેલા કીર્તન ચાલતું હતું ,જેને હવેલી સંગીત પણ કહે છે ,
આખો હૉલ ભક્ત થી ભરેલો હતો ,મંદિર માં જવા પાછળ થી પ્રવેશ છે ,
અંદર જઈએ તો જમણી તરફ ભાઈઓ અને ડાબી તરફ બહેનો ના માટે જૂતા ઉતારવા માટે ની જગા તેમજ રેસ્ટ રૂમ પણ સગવડ હતી 
નીચે સત્સંગ હૉલ અને ઉપર શ્રીનાથજી ભગવાન નું મંદિર હતું ,સત્સંગ હૉલ ની બાજુ માં ધ્યાન માં બેસવા માટેની રૂમ હતી જેમાં લાઈટ ની સગવડ ના હતી પણ ભગવાનના ફોટા માં લાઈટ હતી ,કોઈને પણ મેં ત્યાં ધ્યાન માં બેસેલા જોયા નહિ ,
સત્સંગ હૉલ ની બાજુ માં પુસ્તક ,માળા ,ઠાકોરજી ના વસ્ત્ર ,વિ , નો સ્ટોર હતો '

આજે મુકુલ ચોકસી તરફ થી આખા દિવસ નો મનોરથ હતો સૌને પ્રસાદ લઈને જવા માટે વારે વારે આગ્રહ કરતા હતા ,આરતી પછી જગન્નાથ ભગવાન ની રથ યાત્રા હતી ,પછી થી પ્રસાદ લેવાનો હતો અમે પણ યાત્રા માં જોડાયા ,પ્રસાદ જમતી સમયે ભારત યાદ આવ્યું ,પ્રાસાદિક જમણ માં એક દિવ્ય સ્વાદ હોય છે
વૈષ્ણવ ભક્તો ની વ્યવસ્થા સરાહનીય હતી ,

,
1  અહીં વ્રજ નું સાઈન બોર્ડ લખેલું છે 


વ્રજ ધામ મંદિર નો આગળ નો ભાગ દૂર થી 
ગોપી -તળાવ 
મંદિર નો આગળ નો ભાગ  નજદીક થી 
તે દિવસે રંગોળી પુરી હતી ,અનાજ જુદા જુદા ઉપયોગ કરી મનોહર બનાવી હતી 
સત્સંગ હૉલ 
ધ્યાન રૂમ  માં ભગવાન નો લાઈટ વાળો ફોટો 
ધ્યાન રૂમ 
ગિરિરાજ ધરાણ નું મંદિર 
જગન્નાથ ભગવાન ની યાત્રા 

2  મંદિર નો અંદર નો ભાગ જ્યાં ભક્તો બેઠા છે આરતી થાય છે અને શ્રીનાથજી દર્શન થાય છે 
3  વલ્લભાચાર્યજી ની મૂર્તિ અને શ્રી રાકેશજી મહારાજ ના દર્શન છે


વિશ્રામ ઘાટ