પ્રત્યેક ઇન્દ્રિય (આંખ,મુખ,કાન વગેરે) ના દ્વાર ઉપર રામ (પરબ્રહ્મ) અને લક્ષ્મણ (શબ્દબ્રહ્મ) ને
પધરાવવામાં આવે તો તે યજ્ઞ માં મારીચ (વિષયો) વિઘ્ન કરી શકતો નથી.
રામ-લક્ષ્મણ ની સહાયતા થી વિશ્વામિત્ર નો યજ્ઞ પુરો થયો છે.તે વખતે જનક્પુરીથી કુમ-કુમ પત્રિકા
આવી છે કે સીતાજી નો સ્વયંવર છે. વિશ્વામિત્ર રામ-લક્ષ્મણ ને લઇ ને જનકપુરી તરફ જવા નીકળ્યા છે.
ગૌતમઋષિનો આશ્રમ વચ્ચે આવ્યો, ત્યાં શિલા જોઈ,વિશ્વામિત્રે રઘુનાથજી ને આજ્ઞા કરી કે-
આ શિલા ને તમારા ચરણથી સ્પર્શ કરો, અને શિલા રૂપ બનેલી અહલ્યાનો ઉદ્ધાર કરો.
રામજી વિચારમાં પડ્યા છે
રામજી કહે છે-કે-પરસ્ત્રી ને હું સ્પર્શ કરતો નથી,હું ચરણ થી સ્પર્શ કરું તો તેને સદગતિ મળશે પણ પરસ્ત્રી ને અડકવાથી,
મને પાપ લાગશે તેનું શું ? પરસ્ત્રી ને હું વંદન કરું છું.
મને પાપ લાગશે તેનું શું ? પરસ્ત્રી ને હું વંદન કરું છું.
રામજી કોઈ પરસ્ત્રી ને સ્પર્શ કરતાં નથી,લખ્યું છે-કે- વિના કારણ સગા ભાઈ ને પણ સ્પર્શ ન કરવો.
સ્પર્શ કરવાથી સ્પર્શ કરનારનાં પરમાણુઓ આપણા માં આવે છે.
મહાપુરુષોએ –કવિઓએ કલ્પના કરી છે- રામજી એ અહલ્યાનો ચરણ થી સ્પર્શ કર્યો નથી પણ –
તે વખતે પવન ને કારણે,રામજી ના ચરણ ની રજ (ધૂળ) ઉડીને શિલા પર જઈ ને પડી અને
ચરણ રજ નો સ્પર્શ થતાં શિલા માંથી અહલ્યા બેઠી થઇ છે.અહલ્યા નો ઉદ્ધાર થયો છે.
અહલ્યા ચરિત્ર નુ રહસ્ય એ છે-કે-
અહલ્યા એ “બુદ્ધિ” છે. જે બુદ્ધિ કામસુખ નો વિચાર કરે તે –પથ્થર જેવી જડ બને છે. જડ બુદ્ધિ ઈશ્વર પાસે જઈ
શકતી નથી. આવી જડ બુદ્ધિ જયારે સત્સંગ-સંતસમાગમ થી પવિત્ર બને ત્યારે જ તે ઈશ્વર પાસે
શકતી નથી. આવી જડ બુદ્ધિ જયારે સત્સંગ-સંતસમાગમ થી પવિત્ર બને ત્યારે જ તે ઈશ્વર પાસે
જઈ શકે છે-ભગવાન ના ચરણ ની રજ જયારે મળે ત્યારે તે –બુદ્ધિ પવિત્ર બની જાય છે.
શિલા પણ રામ ચરણ રજ થી અહલ્યા બની તેમ રામ-નામ ના સ્પર્શથી,માનવીનું મેલું મન પવિત્ર બને છે.
રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરી માં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ કર્યો છે.
જનકપુરી ના રાજા જનક ને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે-એટલે તેમનું સ્વાગત કરવા તે –
આવ્યા છે.ઋષિ ની સાથે કુમારો ને જોઈને જનક વિચારે છે-કે-આ ઋષિકુમારો છે-કે રાજકુમારો ?
જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ?
વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?
જનકરાજા મહાજ્ઞાની છે. શુકદેવજી જેવા પણ રાજા ને ત્યાં સત્સંગ કરવા આવે છે.
જનક નુ બીજું નામ પડ્યું છે –વિદેહી.
દેહ માં હોવાં છતાં દેહનો ધર્મો જેને સ્પર્શી શકતા નથી-તે વિદેહી. તે જીવતે જીવ મુક્ત છે.
શરીર અને ઇન્દ્રિયોની હયાતી માં જે મુક્તિનો આનંદ અનુભવી શકે તે વિદેહ મુક્તિ છે.
ધર્મરાજાએ જ્ઞાની ની વ્યાખ્યા આપેલી છે-કે- બ્રહ્માનુભવ માં જેણે વિષયરસ નુ ભાન ન રહે તે જ્ઞાની.
આસક્તિ અને અભિમાન –એ બંને જીવ ને બંધન કરનાર છે-જ્ઞાની આ બંને ને ત્યજે છે.