રામજી ને જોવાથી તો શું,રામજી નુ ચિંતન કરવાથી પણ બુદ્ધિ સુધરે છે.
એકનાથ મહારાજે ભાવ-રામાયણ માં લખ્યું છે-કે-
રામ-રાવણ નુ યુદ્ધ થતું હતું-ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો.મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો,
ત્યારે તેણે પૂછ્યું કે-મને કેમ જગાડ્યો ?
રાવણ : સીતા માટે યુદ્ધ થાય છે-એટલે તરી મદદ માટે તને જગાડ્યો છે.
કુંભકર્ણ : તું સીતાજી ને કેમ લઇ આવ્યો?....રાવણ : તે બહુ સુંદર છે-તેથી લઇ આવ્યો છું.
કુંભકર્ણ : તારી ઈચ્છા પૂરી થઇ ? રાવણ : તે પતિવ્રતા છે,મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.
કુંભકર્ણ : તું માયાવી રામનું રૂપ-ધરી તેમની પાસે જા,તે છેતરાઈ જશે,અને તને વશ થશે.
રાવણ : મેં તે પ્રયત્ન કર્યો હતો,પણ રામ માં કાંઇ જાદુ હોય તેમ લાગે છે,હું રામનું સ્વ-રૂપ ધરવા –જ્યાં તેમના સ્વરૂપ નુ
ચિંતન કરું છું-ત્યારે મારું મન બદલાઈ જાય છે.મારાં મન બુદ્ધિ શુદ્ધ થાય છે.
ચિંતન કરું છું-ત્યારે મારું મન બદલાઈ જાય છે.મારાં મન બુદ્ધિ શુદ્ધ થાય છે.
સીતા મને માતા રૂપે દેખાય છે.
(રાક્ષસો એ જે માયાવી સ્વરૂપ ધારણ કરવું હોય-તે સ્વરૂપ નુ ચિંતન સહુ પ્રથમ કરવું પડે છે.
અને ત્યારે જ તે – જે-તે સ્વરૂપ ધારણ કરી શકે છે.)
રામજી નુ સ્મરણ-ચિંતન માત્ર થી રાવણ નિષ્કામ થતો હતો –
તો પછી અહીં મારીચ ને તો રામજી નાં પ્રત્યક્ષ દર્શન થયા હતાં.તેથી તેનો સ્વભાવ સુધરે તેમાં શું આશ્ચર્ય ?
કુંભકર્ણ કહે છે-જેનું માત્ર ચિંતન કરવાથી કામ નો નાશ થાય તે ઈશ્વર. રામ રાજા નથી પણ ઈશ્વર છે.
ઈશ્વર સાથે વેર કરનાર તું મૂર્ખ છે-હું તને મદદ નહિ કરું,વિભીષણ ની જેમ હું પણ રામ નો આશ્રય લઈશ.
ત્યારે રાવણે કહ્યું-કે-રામ સાથે મારી “વિરોધ-ભક્તિ” છે.મેં વિચાર કર્યો કે-એકલો હું રામની ભક્તિ કરું તો મારા
એકલાનું જ કલ્યાણ થશે,આ રાક્ષસો તામસી છે,તે કોઈ દિવસ રામજી નુ નામ લેવાના નથી,
એકલાનું જ કલ્યાણ થશે,આ રાક્ષસો તામસી છે,તે કોઈ દિવસ રામજી નુ નામ લેવાના નથી,
રામજી સાથે યુદ્ધ થશે –તો તેઓને પણ રામજી ના દર્શન થશે-અને સર્વ નો ઉદ્ધાર થશે, તેમને સદગતિ મળશે.
આપણા વંશ નુ કલ્યાણ કરવા-મેં રામ સાથે વેર કર્યું છે.
આપણા વંશ નુ કલ્યાણ કરવા-મેં રામ સાથે વેર કર્યું છે.
મારીચ આવ્યો હતો યજ્ઞ માં વિઘ્ન કરવા પણ રામજી ના દર્શન માત્ર થી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-
તે વિચારે છે-કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી. તેથી તે બીજા દ્વારે ગયો-ત્યાં પણ તેણે રામ-લક્ષ્મણ ને
પહેરો ભરતા જોયા,ત્રીજા ચોથા ના એ સર્વ દ્વાર પર રામજી જ દેખાય છે.મારીચ ને આશ્ચર્ય થાય છે.
યજ્ઞ કે કોઈ પણ સત્કર્મ માં –ઇન્દ્રિયો ના પ્રત્યેક દ્વાર ઉપર રામ ને પધરાવવાથી તે સત્કર્મ પૂર્ણ બને છે.
નામ-જપ કરવો,કથા સાંભળવી,મન થી નારાયણ ને મળવું,,, વગેરે પણ યજ્ઞો જ છે.
ગરીબ માં ગરીબ માણસ પણ આ યજ્ઞ કરી શકે છે.
બીજા બધા યજ્ઞો માં ખુબ ધન જોઈએ,અધિકાર જોઈએ,પ્રાયશ્ચિત કરવું પડે,અમુક યજ્ઞ માત્ર
અગ્નિહોત્રી જ કરી શકે,અમુક યજ્ઞ માં દેશ-કાળ ની મર્યાદાઓ છે...વગેરે...વગેરે..
પરંતુ ઉપનિષદ માં એક એવો યજ્ઞ બતાવ્યો છે-કે-જે કોઈ પણ કરી શકે છે,કોઈ પણ સમયે,કોઈ પણ સ્થળે,
કોઈ પણ જાતિ નો મનુષ્ય આ યજ્ઞ કરી શકે છે- અને તે યજ્ઞ છે-જપ-યજ્ઞ.
સર્વ યજ્ઞો માં જપ-યજ્ઞ શ્રેષ્ઠ છે.આંખ થી દર્શન કરતાં,કાનથી સાંભળતા,મન થી સ્મરણ કરતાં-
જપ કરવામાં આવે તો –આપોઆપ સમાધિ લાગી જાય છે.
આ યજ્ઞ માં -”આત્મા” એ યજમાન (યજ્ઞ કરનાર) છે. “શ્રદ્ધા” એ યજમાન ની પત્ની છે. અને
“શરીર” એ યજ્ઞ ભૂમિ છે. અને આ જપ-યજ્ઞ થી ચિત્ત-શુદ્ધિ કરી-પરમાત્માનો મન માં લય કરી ને-