રામાયણ સાર -12 ડોંગરેજી કથા પર આધારિત

રામાયણ સાર -12  ડોંગરેજી કથા પર આધારિત

સદગુણો ભેગા થયા છે,મારો રામ હજુ બાળક છે,રાક્ષસો ને કેવી રીતે મારી શકશે ? ”
રામના વખાણ કરતાં દશરથ નુ હૃદય ભરાયું છે.
“જેમ જળ વિના માછલી જીવી શકે નહિ તેવી જ રીતે રામ વિના હું જીવી શકીશ નહિ, મારો રામ મારાથી
દૂર જશે તો મારા પ્રાણ ટકશે નહિ,ગુરુજી,તમે માગો તો રાજ્ય મારા પ્રાણ આપું પણ રામ સિવાય તમે જે
માગો તે હું આપવા તૈયાર છું.મારી વિનંતી છે-મારા રામ ને મારાથી દૂર ન કરો”


ત્યારે વશિષ્ઠજી દશરથ ને સમજાવે છે-“વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે,તેમની સેવા કરશે તો રામ સુખી થશે.
તમે ના પાડો તે સારું નહિ, ગઈકાલે રામ ની જન્મ-પત્રિકા મારા હાથ માં આવી હતી,તે જોતાં એમ લાગે છે-કે-આ વર્ષ માં રામજી ના લગ્ન નો યોગ છે,અતિસુંદર રાજ-કન્યા સાથે રામજી ના લગ્ન થશે.
માટે તેઓ ને મોકલો,હું માનુ છું કે વિશ્વામિત્ર અહીં આવ્યા છે-તે કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે”


દશરથ જી રામ ના લગ્ન ની વાત સાંભળી ખુશ થયા છે. વશિષ્ઠ માં તેમને પૂર્ણ વિશ્વાસ હતો.
રામ-લક્ષ્મણ ને સભામાં બોલાવ્યા અને દશરથે તેમને કહ્યું કે –વિશ્વામિત્ર ના યજ્ઞ નુ રક્ષણ કરવાનુ છે.
રામજીએ કહ્યું-કે આપ આજ્ઞા આપો તે કરીશું. અને રામજી જવા તૈયાર થયા.
અને માતા કૌશલ્યા ની આજ્ઞા લેવા ગયા. કૌશલ્યા કહે છે-બેટા,તમારાં પિતા કહે તેમ કરવાનું.
તેમની આજ્ઞા તે જ મારી આજ્ઞા.તમારા પિતા અને વિશ્વામિત્ર પ્રસન્ન થાય તેવું કરો.


કૌશલ્યા એ વિચાર્યું-મારો રામ યૌવન માં પ્રવેશ કરે છે,વિશ્વામિત્ર જેવા સંયમી-તપસ્વી પુરુષ ની સેવા
કરશે –સત્સંગ થશે-તો સુખી થશે.વળી નારદજી એ કહેલું કે રામજી ના લગ્ન આ વર્ષ માં થવાના છે-એટલે જરૂર કોઈ સારો સંકેત હશે. કૌશલ્યા એ આશીર્વાદ આપ્યા છે.


યૌવન માં જ સત્સંગ ની જરૂર છે, પંદર વર્ષ ની ઉંમર પછી યૌવન ની શરૂઆત થાય છે, પંદર થી ચાલીશ વર્ષના ગાળા ને ગદ્ધા-પચીસી કહે છે,તે સમય માં મનુષ્ય પશુ જેવો થાય છે,તે વખતે-સત્સંગ ની બહુ જરૂર છે. ડોસાને ડહાપણ આવે –શરીર શક્તિહીન થયા પછી વિવેક જાગે તો તે વખતે તે કંઈ કરી શકતો નથી.


કૌશલ્યા એ વિશ્વામિત્ર ને કહ્યું-મારો રામ બહુ શરમાળ છે-તે તો મા ની પણ મર્યાદા રાખે છે, ભૂખ લાગે તો પણ તે મને કંઈ કહેતો નથી. મારી પાસે પણ માગતો નથી તો તમારી પાસે કેવી રીતે માગશે ?
મારો રામ દુબળો ન થાય,તેને માખણ મિસરી ખવડાવજો.


વિશ્વામિત્ર કહે ચ-મા તમે ચિંતા ના કરો,મારા આશ્રમ માં ઘણી ગાયો છે, યાદ રાખી ને હું રોજ –
રામ-લક્ષ્મણ ને માખણ ખવડાવીશ.


શ્રીરામ ને –શ્રીકૃષ્ણ ને માખણ-મિસરી બહુ ભાવે છે.
જીવન ને મિસરી ની જેમ મધુર (મીઠું-ગળ્યું) બનાવવાનું છે.
જીવન માં મીઠાશ આવે છે-સંયમથી-સદગુણો થી.
જીવન માં મીઠાશ લાવવી હોય તો-જગતના સર્વ જીવો ને માન આપવું જોઈએ.
બીજા ને માન આપવાથી જીવન મીઠું-મધુર થાય છે.
જેના જીવન માં મીઠાશ નથી તે પ્રભુ ને ગમતો નથી.
જેનું હૃદય માખણ જેવું કોમળ છે-જેના જીવનમાં ચારિત્ર્ય ની મીઠાશ છે-તે પ્રભુ ને ગમે છે.
પણ જેના જીવન માં કપટ અને કડવાશ છે-તે વ્યક્તિ ભક્તિ કરે તો પણ તેની ભક્તિ ભગવાન ને ગમતી નથી. જ્ઞાનદાન,વિદ્યાદાન,અને દ્રવ્યદાન કરતાં પણ માનદાન ચઢિયાતું છે.
સર્વ ને માન આપવાનું-એક પૈસા નો પણ ખર્ચો નહિ.